જય હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!

હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!
ચાલો આપણે હનુમાનજીને વાનર નહિ નર સમજીએ અને દેવતા કે ભગવાન નહિ એક માનવ કે મહામાનવ સમજીને એમનું બહુમાન કરીએ. આપણે એક ઇલ્યુજનમા ફસાઇ ચુક્યા છીયે.બસ એમાથી દુર થવાનો પ્રયત્ન માત્ર છે.પ્રાચીન મનીષીઓએ જે પ્રતીકો રચ્યા છે તેનુ હાર્દ સમજીયે.એને સાચા માનવા ને બદલે એમાથી કશુ શીખીયે.પ્રાચીન બધુ સાચુ જ હોય તેમ માનવુ પણ વધારે પડતુ છે.અને અર્વાચીન બધુ ખરાબ હોય તેમ માનવુ પણ ખોટુ છે.આપણી ભુલો દેખાય તેમા ઇગો ઘવાય છે.ચાલો ત્યારે આજે હનુમાનજી વિષે મારુ શુ માનવુ છે તે જાણીયે.જ્યારે હુ નાનો હતો અને અખાડામા જતો ત્યારે હનુમાનજીની છબીને નમસ્કાર કરી ને દંડ બેઠક શરુ કરતો.પછી જ્યારે બરોડામાં મિસેકો જીમ્નેશીયમમાં જતો ત્યા પણ હનુમાનજીની છબીને નમન કરીને ડંબેલ્સ હાથમા લેતો.આખો શીયાળો તલ અથવા સરસિયાના તેલ ની માલિશ કરવાનો મારો નિયમ હતો.અમારે કોફી બ્રેકમાં ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે.ભારતનાં સમાચારોથી મોટા ભાગનાં મિત્રો સતત વાકેફ હોય છે.પેલા મિત્રે મને ફરી એક વાર પૂછ્યું કે હનુમાનજી વિષે શું માનો છો?
આપણી  નરી કલ્પના જ હોવી જોઈએ.પુરાણોમાંથી થોડો ઘણો ઈતિહાસ મળી શકે પણ એમાં કલ્પનાનું તત્વ ઘણું બધું ઉમેરાયેલું  છે તે બાદ કરતા આવડવું જોઈએ.પણ આપણને આપણી કલ્પનાઓ ઘણી વહાલી છે.વાસ્તવિકતા દુઃખદાયી હોય છે કલ્પનામાં મજા છે.દવે સાહેબ સુચવતા હતા કે વાનર નામની કોઈ જાતી કે આદિવાસી સમૂહ હોવો જોઈએ.કદાચ એ લોકોમાં  પાછળ નકલી પૂછડી રાખવાની આદત પણ હોઈ શકે એ લોકોની મદદ વડે શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરેલું.બાકી કોઈ પૂંછડીવાળો વાનર બે પગે ચાલતો જોવા મળ્યો નથી.ટેમ્પરરી ચાલ્યો હોય.કે કોઈ પૂંછડી વાળો વાનર બોલ્યો હોય કે રામના ભજન ગાયા હોય તેવું શક્ય નથી.બધા પશુઓ ચાર પગે ચાલે છે તેમ વાનરો પણ ચાર પગે જ ચાલે છે.પછી પૂંછડી વાપરવાનું બંધ કરતા તે ગુમ થઇ ગઈ હોવી જોઈએ અમુક જાતોમાં.હવે કુદરતનો પ્લાન હશે કે ભવિષ્યમાં માનવ ની ઉત્પત્તિ કરવી છે.માટે ક્રમે ક્રમે આગળ વધવું પડે.નિયમમાં બાંધછોડ કુદરત કરતી નથી.કે પછી ઉત્ક્રાંતિનાં ક્રમમાં લાખો વર્ષે ફેરફાર થતા આવ્યા છે તેમ જાતો બદલાતી જતી હોય છે.એટલે બે પગે ઉભા થઇ જવાની તૈયારી રૂપે પહેલા આવ્યા પૂંછડી વગરના એપ્સ.હવે બે પગે ઉભા થવાની તૈયારી રૂપે એપ્સ લોકોએ ચાર પગે પૂર્ણતઃ ચાલવાને બદલે શરુ કર્યું નકલ વોકિંગ.ખાલી એપ્સ જ નકલ વોકિંગ કરતા હોય છે, પૂંછડીવાળા વાનરો તો હરગીજ નહિ.નકલ વોકિંગ કરતા કરતા ઉભા થવાનું શરુ થયું હશે.અને મેં અગાઉના લેખોમાં જણાવ્યું છે તેમ બે પગે ઉભા થનાર એપ્સનો જન્મ થયો.સહારાના એરિયામાંથી વૈજ્ઞાનિકોને ફક્ત બે પગે ઉભા થઇ ચાલનાર એપ્સનાં ફોસિલ મળ્યા જ છે.ત્યાર પછી અર્ધું એપ્સ અને અર્ધું માનવ એવું લુસી મળ્યું છે.કપીમાનવ શબ્દ મિત્રોએ સારો સુચવેલો છે.ત્યાર પછીની સ્ટોરી મારા મિત્રો જાણે છે.એટલે બે પગે પૂછડી વાળો વાનર ચાલતો હોય અને હાથમાં ગદા લઇ યુદ્ધ કરતો હોય સંસ્કૃતમાં બોલતો હોય કે ગાતો હોય તે શક્ય નથી.લેન્ગવેજનો અધિકાર ભાષાનું જ્ઞાન કે કેપેસીટી પણ ફક્ત માનવ પાસે જ છે.બીજા પ્રાણીઓનાં બ્રેનમાં નથી.હા એમની ભાષા સુરની છે.શબ્દોની નહિ.

કેરાલામાં એક ખાસ બ્રાહ્મણો નો સમૂહ વર્ષનાં ખાસ દિવસોએ આ કુદરતી સુરની સાધના ખાસ જગ્યાએ કરતો હોય છે જે કોઈને સમજાય તેમ નથી.બસ જાત જાતનાં સુરનાં રાગડા તણાતા હોય છે.પરમ્પરાગત આ વિધિ ચાલતી હોય છે.એમના વારસોને પણ આ શીખવવામાં આવે છે.એમાં કોઈ શબ્દો હોતા નથી,ફક્ત પક્ષીઓ ગાતા હોય તેમ ગવાતું હોય છે જેનો કોઈ અર્થ હોતો નથી.પણ બધું લયબદ્ધ અને તાલ સાથેનું હોય છે.દિવસો એના પુરા થયા પછી એ જે કુટીરમાં ગવાયું હોય છે તેને પણ બાળી નાખવામાં આવે છે.આશરે ૫૦,૦૦૦ વર્ષ પહેલા માનવ આફ્રિકા થી દક્ષીણ ભારતમાં આવેલો હતો.ત્યાર વખતે કદાચ કોઈ ચોક્કસ ભાષાકીય શબ્દો નહિ હોય. માનવ સુર ની ભાષામાં વાતો કરતો હશે.એની પ્રેક્ટીસમાં આ વિધિ કેરાલામાં ચાલતી હશે જેથી બાળકોને વારસામાં એ સુર જ્ઞાન આપી જવાય.મારું ચોક્કસ માનવું છે કે ભાષાની શરૂઆત ભારતનાં કેરાલામાં થઇ હોવી જોઈએ.હજુ પણ એ સાધના ચાલુ છે.આના વિષે વધુ સંશોધન થાય તે જરૂરી છે.માટે હનુમાનજી વાનરને બદલે એવી કોઇ માનવ જાતના હશે તે વધારે તથ્ય છે.
એટલે હનુમાનજીની મોહક કલ્પના શરુ થઇ હશે જે આજ સુધી ચાલુ જ છે.ત્યાર પછી હનુમાનજી અમર છે તેવી મનઘડંત વાતો આવી ગઈ.કથાકારોએ એમની કથામાં વધારે શ્રોતાઓ આવે માટે આવી વાતો ફેલાવી હોવી જોઈએ કે રામની કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર હોય.પાત્ર તરીકે હનુમાનજી અમર છે તે વાત ચોક્કસ છે.બાકી બાબરે રામ મંદિર તોડીને મસ્જીદ બનાવી ત્યારે હનુમાનજીને કોણે રોકી રાખેલા?જ્યાં જ્યાં મંદિરો હતા ત્યાં ત્યાં મુસલમાન શાસકોએ તેને તોડીને ત્યાં મસ્જીદો બનાવેલી છે તે હકીકત છે.એટલે બાબરી મસ્જીદ નીચે મંદિર હોય જ તેમાં પુરાવા  માંગવાની શું જરૂર હોય?છતાં પુરાત્વખાતાએ પુરાવા આપ્યા જ છે કે નીચે મંદિર હતું.મૂળ વાત એ છે કે કલ્પનાઓમાં જીવતા આપણે ભારતીયો કાયર બની ચુક્યા છીએ.કોઈ હનુમાન આવશે ભૂત પ્રેત ભાગી જશે,બધું સમુસુતરું થઇ જશે.કરો હનુમાન ચાલીસા જે તુલસીએ બનાવી છે અને ભૂતડા ભાગી જશે એ શક્ય નથી.હનુમાન ચાલીસા તમને લડવાની હિંમત આપવાને બદલે ભાગેડુ બનાવે છે.આપણે તો હનુમાન ચાલીસા ગઈ લીધી હવે રક્ષણ કરવાનું કામ એમનું,આપણું નહિ.આપણું રક્ષણ આપણે જ કરવાનું છે,કોઈ હનુમાને ઠેકો નથી લીધો.એમનો કાલ પૂરો થઈ ગયો,ગયા તે હવે પાછા કોઈ નથી આવવાના.હા જે ભૂત પ્રેત છે જ નહિ તેમાંથી માનસિક રીતે ડરપોક લોકોને રાહત મળતી હશે એના ગાવા થકી.

આજે ઠેર ઠેર આ કાલ્પનિક પાત્રનાં નામે ખુબ મોટો ધંધો ચાલી રહ્યો છે.ખૂણે ખાંચરે,રોડ રસ્તા પર એના નામે નાની દેરીઓને મંદિર બનાવી દેવામાં આવે છે.જ્યાં જમીન સરકાર કે રોડમાં જતી હોય ત્યાં ચાલાક લોકો નાની દેરી બનાવી એમાં હનુમાનને બેસાડી દેતા હોય છે.હવે ધાર્મિક લાગણી દુભાઈ ના જવી જોઈએ.એનો દુરુપયોગ કરી ને ત્યાં પછી કોઈ પોલીસ કે સરકાર પગલા લેતા નથી.અને રોડ વચ્ચે શનિવારે લાંબી લાઈનો લાગે છે હજારો મુરખો તેલ ચડાવા આવી જાય છે.અલ્યા એક મૂર્તિને તેલ ચડાવી ને તને શું ફાયદો થવાનો છે?તેલ જવાનું ગટરમાં, પછી એ ગંદી કુંડીમાં સંગ્રહાયેલું તેલ પાછું જવાનું ફરસાણનાં વેપારી પાસે.જેના વડે તળાયેલા ભજીયા ફાફડા આપણાં પેટમાં.દરગાહો અને કબરો નું પણ આવુજ છે.
હનુમાનજી અખાડાના દેવ છે.કસરતના દેવ છે.હનુમાનજી એક અતીબલવાન યોદ્ધા છે.પવન પુત્ર છે,મતલબ એમની યુદ્ધમા ઝડપ અપ્રતીમ છે,કાતીલ છે.પવન વેગી છે.યુદ્ધમા ઝડપનુ ખુબજ મહત્વ છે.તેલ માલીશ  કરવાથી શરીર મજબુત થાય છે.શિયાળામાં તેલ માલીશ અવશ્ય કરવું જોઈએ.પહેલવાનો તેલ માલીશ કાયમ કરતા કરાવતા હોય છે.ઠંડા પ્રદેશોમાં લગભગ કાયમ બોડી લોશન લગાવવા પડતા હોય છે.દરેક દેશી અખાડામાં હનુમાનજની છબી હોય છે.કુસ્તીના દાવપેચ અને ગદા યુદ્ધ માં માહિર એવા હનુમાન  પહેલવાનોના માનસિક  ગુરુ ગણાતા હોય છે.બસ એટલે જ હનુમાનને તેલ ચડાવાય છે.એ તેલ હનુમાનને નહિ આપણે આપણાં શરીરે ચડાવવાનું હોય છે.પણ આપણે તેલનો દુર્વ્યય કરીએ છીએ.લાંબી લાઇનો ઉભા રહી તેલ ચડાવવુ એ કોઇ ભક્તી નથી.આવી આસ્થા પણ વ્યાજબી નથી.આતો પાગલપન છે.એક મુર્ખામી છે.આવી મુર્ખ આસ્થાઓ ભલે કરોડો લોકોની હોય તેનાથી શુ ફેર પડે છે?કરોડો લોકો મુર્ખામી કરતા હોય તેટલે એ શુ સત્ય બની જવાનુ?  સિંદુરનો રંગ કેસરી જે આક્રમકતાનો રંગ છે.આવા લાલ રંગ સમકક્ષ રંગ યુદ્ધનાં રંગ છે.જે જોઈએ ને ઉગ્રતા આવે,આવા રંગ સામાને ભય પમાડે.લીલો રંગ જોઈને શાંત થવાય.લોહી જોઈને ઘણા બધાને ભય લાગી જતા ચક્કર આવી જાય છે.લોહી જોવાની ખાસ ક્ષમતા કેળવવી પડે.જેને યુદ્ધોમાં લડવાનું છે તેણે આ લોહી જોવાની ક્ષમતા કેળવવી જ પડે.નહિ તો લડી રહ્યા.

અહિંસક બન્યા પછી ભારતીયો લડી શકતા નથી.એનું આજ કારણ છે.એટલે હનુમાનજી ને સિંદુર ચડાવાય છે. દર શનિવારે હનુમાનને તેલ ચડાવ્યા કરતા તે તેલ તમારા શરીરે ચડાવો,થોડા દંડ બેઠક કરો,શરીર તગડું ને મજબુત બનાવો,હનુમાનની જેમ નીડર બનો,દરિયો કુદી જવાની હૈયા માં હામ ભરો.આપણે એમને તેલ ચડવીયે છીયે અને કોઇ ત્રાસવાદી આવે ત્યારે ઉભી પુંછ્ડીયે ભાગીયે છીયે.મુંબઇમા જોયેલુ ને?રેલ્વે સ્ટેશને એક ત્રાસ્વાદી ગોળીઓ છોડતો હતો ત્યારે હજારો હનુમાન ભક્તો ભાગતા હતા.અને એક સાચો હનુમાન ભક્ત જમાદાર ખાલી ખુરશીઓ ફેંકીને પેલા ત્રાસવાદી ને ભગાડતો હતો. રાવણ જેવા બળવાન સામે ટકરાઈ જવાની આક્રમકતા કેળવો તેજ હનુમાનની સાચી  ભક્તિ કહેવાય.બાકી કોઈ હનુમાન ભારતને બચાવી નહિ શકે.